Saturday, March 14, 2009

વૈશ્વિક મંદિ

આજે વિશ્વ મંદિની ગર્તા માં ધકેલાયું છે ચારો તરફ મંદિની બુમરાણ મચી છે.કોઇ ને પણ પુછો "દિવાળી કેવી ગઇ ???" તો ચાલુ કરશે, "યાર જવાદો ને આ મંદિ એ પત્તર ઠોકિ છે" અને જો તમે સુરત માં રહેતા હો તો પત્યું જીવનમાં કયારેય સાંભળ્યું ન હોય એવું સાંભળવા મળશે જોકે એ વાત અલગ છે કે સૌથી વધુ ખર્ચો એ "મંદિ" વાળા જ કરતા હોય છે.જો તમે એમને પુછશો કે,"કેમ બાબુભાઇ શું થયું આ વખતે તો મંદિ હતી ને તો આ નવા કપડાં, નવો દાગીનો, આટલા બધા ફટાકડા ?" તો એ બાબુ એના માથાના બે-ચાર વાળ ગણતો ગણતો હસી ને જવાબ આપશે, "શું છે ને કે તમાચો મારી ને પણ ગાલ લાલ રાખવો પડે છે." સાલું એ બાબલા ને એક તમાચો મારી ને એનો ગાલ સાચે જ લાલ કરવાનું મન થાય છે.માન્યા કે અત્યારે મંદિની અસર છે પણ જેને લાગુ પડે છે એને ઠિક છે આ તો દરેક જણ મંદિ ના નામની માળા જપે છે.ચાલો તમે મને કહો શું કયારેય પ્લમ્બર ને મંદિ લાગુ પડશે ??? તમારા બાથરૂમનો નળ બગડયો હોય તો તમે ગમે એવી મંદિ હોય એ નળ રિપેર કરાવવા તેજી ની રાહ જોવા નથી બેસવાના અને એમ કરવા જાઓ તો રોજ રોજ તમારી સવાર બગડે.તમારૂ સ્કુટર લઇ ને તમે તમારી પત્નિ સાથે(બીજાની હોય તો ગાડી લઇ જવી પડે) ચોપાટી જાઓ છે અને રસ્તામાં પંકચર પડે છે તો ત્યારે તમે રિલાયન્સના ભાવ ઉંચકાવાની વાર નથી જોવાના. ત્યારે તમે તરત જ આજુબાજુ કોઇ રહેમાન કે ઉસ્માન ગેરેજ વાળાને શોધવા જાઓ છો. જાઓ પુછી આવો સિગરેટના બંધાણી ને એને કયારેય કોઇ મંદિ નડી છે ??? જાઓ પુછી આવો દારૂ ના બંધાણી ને એને કયારેય કોઇ કાયદો કે મંદિ નડિ છે ??? અને તમે જોજો આ મંદિનિ વાતો પણ એવા લોકો જ કરતા હોય છે કે જેઓ ના ધંધામાં કયારેય મંદિ આવતી નથી જેમ કે આ પલ્મબર, ગેરેજ વાળા...અથવા તો એવા લોકો જેઓ મંદિ માં કાળા બજારીયા કે ઉંધાચત્તા ધંધા કરીને અઢળક રૂપિયો બનાવે છે જેમ કે ઉપરોકત બાબુભાઇ.
મને અન્ય રાજ્યોનું તો નથી ખબર પણ આપણા ગુજરાતના દરેક શહેર માં કેટલીક બાબતો કૉમન જોવા મળશે.સૌથી પહેલી બાબત દરેક ઘરમાં શેરબજારની પ્રવુતિઓ, બીજી બાબત દરેક સોસાયટીની બહાર પાનનો ગલ્લો અને દરેક શાક બજારની બહાર પાણી પુરી ની લારી.પાણી પુરી ની વાતો હમણાં નથી કરવી એ ફરી કયારેક કરીશું. હા તો હમણાં વાતો કરતા હતા મંદિ અને શેર બજારની. આપણે ને થાય કે ચાલો જમીને રાત્રે એકાદ સિગરેટ સળગાવી આવીએ કે એકાદું કલકતી સાદું ખાઇ આવીએ એ વિચારે હું કયારેક એ શર્માજી ના ગલ્લે જાઉં છું તો ત્યાં મને હાથમાં સિગરેટ અથવા તો મોઢામાં "૧૩૫" ના ડુચા સાથે વૈશ્વિક મંદિના કારણો, એના માટે જવાબદાર વ્યકિતો અથવા તો પરિબળો અને મંદિ દુર કરવાના ઉપાયો અંગેની ચર્ચા કરતાં કાંતિભાઇઓ, શાંતિભાઇઓ, સુરેશભાઇઓ મળી આવે છે. અરે આ ઉદયન મુખરજી ખબર નહિં કેવી રીતે CNBC માં પહોંચી ગયો બાકિ મારૂ ચાલે તો હું ઉદયનની જગ્યાએ આ શાંતિ, કાંતિ અને સુરેશ ને જ મોકલી આપું અરે ભાઇ વર્ષોથી એમને મંદિમાં રહેવાનો બ્હોળો અનુભવ છે તો એમના અનુભવનો લાભ ત્યાં શર્માજી ને ત્યાં આવતા લોકો ને જ કેમ પણ દરેકને મળવો જોઇએ. અરે જો તેમનાથી આપણા વિશ્વની મંદિ દુર થતી હોય તો એનાથી રૂડું શું ???ચાલો હવે હું આ લેખ પુરો કરુ છું મારે પણ મંદિ છે અને બોલપેનો ના ભાવ વધ્યા છે...

3 comments:

Krishna The Universal Truth.. said...

rajan aa mandi par te article lakhyo chhe pan kai jamto nathi yaar...sorry to say but true is true..

rupen007 said...

વાંચે ગુજરાત
‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
આપ સૌ પણ આ અભિયાન માં આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો..આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/
http://rupen007.blogspot.com/
http://twitter.com/rppatel1in
http://www.facebook.com/rupen007?ref=name

Pinakin said...

nice writing..